મુખ્ય સામગ્રી પર જાઓ

Featured Post

84 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા.

84 વૈષ્ણવોની વાર્તા.  વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ના સેવક,  દામોદરદાસ હરસાનીની વાર્તા.

252 વૈષ્ણવોની વાર્તા વાર્તા 11 મી. વૈષ્ણવ 11 માં.

252 વૈષ્ણવોની વાર્તા


વાર્તા 11 મી. વૈષ્ણવ 11 માં. શ્રીગુસાંઇજીના સેવક ભૈયા રુપમુરારી ક્ષત્રીની વાર્તા.



એક દિવસ શ્રીગુસાંઇજી ગોવિંદકુંડ ઉપર સંધ્યાં કરતા હતાં. તે વખતે ભૈયા રૂપ મુરારી શિકાર કરતાં કરતાં આવ્યા. એમના એક હાથમાં બાજ હતું. એમણે શ્રીગુસાંઇજીને દૂરથી દીઠા તો સાક્ષાત પુરુષોત્તમના દર્શન થયા. પછી શિકાર છોડી દીધો. અને શ્રીગુસાંઇજીને વિનંતી કરી,"મારી તો આ દશા છે. શ્રીગુસાંઇજીએ કહ્યું." જ્યારથી જાગ્યા ત્યારથી સવાર." આ સાંભળીને રુપમુરારી હાથ જોડીને ઉભા રહ્યા. શ્રીગુંસાઈજીએ કહ્યું, તમે "સ્નાન કરી આવો." પછી સ્નાન કરીને સન્મુખ ઉભા રહ્યા. શ્રીગુંસાઈજી એ એમને નામ પમાવ્યું અને શ્રીનાથજીની સંન્નિધીમા સમર્પણ કરાવ્યું. આપે ભોજન કરીને મહાપ્રસાદની પાતળ ધરાવી, રુપમુરારીએ મહાપ્રસાદ  લીધો, એક દિવસ તેમણે શ્રીગુસાંઇજીને પૂછ્યું. "મારે આપના ચરણ સ્પર્શ કરવાં છે, પણ મારાં કરેલા કર્મ યાદ આવે છે. તેથી મારુ મન શંકાશીલ થાય છે. ત્યારે શ્રીગુંસાઈજીએ કહ્યું," તમે વૈષ્ણવ થયા છો, તમારો નવો જન્મ થયો છે, હવે હંમેશાં અપરસમાં નાહીને ચરણ સ્પર્શ ખુશીથી કરો. આ રુપમુરારી એવા કૃપાપાત્ર હતા. એમનું મન દર્શન માત્રથી પ્રભુના ચરણારવિંદમાં જોડાયું. વાર્તા સંપૂર્ણ. વૈષ્ણવ 11 માં.     

(સાર) મહાપ્રસાદ  અપાર છે. વળી પ્રભુના હાથથી મહાપ્રસાદ મલે તો તેનો મહિમા ઘણોજ છે. 

આ રુપમુરારીદાસના સેવ્ય શ્રીઠાકોરજી શ્રીમદનમોહનજી હાલ કચ્છના માંડવીશેરમાં શ્રીપન્નાલાલજી  મહારાજને માથે બિરાજે છે.

રુપમુરારીદાસ સંબંધી એમ પણ કહેવાયછે કે એમના સંગથી ગૌડદેશના રહીશ નારાયણદાસ કુટુંબ સહ શ્રીગુસાંઇજીને શરણે ગયા હતાં.

ભાવસિંધુમાં આ પરમ ભગવદીયની વાર્તા ઘણા વિસ્તારથી આપી છે. આ વાર્તા વાંચતી વખતે ભાવસિંધુના પુસ્તકમાં આપેલી વાર્તા અવશ્ય વાંચવા વિનંતી છે.    

---------------------------------------------------------------------------------


---------------------------------------------------------------------------------



ટિપ્પણીઓ

MOST FAVORITE POST

શ્લોક અને ભજન .13

શ્લોક  અને ભજન .13 (1) તેરા સ્વરૂપ ન્યારા ન્યારા તમે વૈષ્ણવ ના છો વાલ્હા  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો  --------------------------------------------------------------------------------- (2) નંદ કે દ્વાર મચી હોરી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (3) હોરી આઈ રે કાના  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (4) ઓ પાલન હારે  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો -------------------------------------------------------------------------------------------------------------------------- (5) વલ્લભ કુળના વાહલા શ્રીનાથજી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------------------------------------------- (6) મારા શ્રીનાથજીને સોનાની ઘંટી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 1-થી-10)

                                                                      અર્થ   જ્યારે જ્યારે ધર્મ નો મહા ધ્વંસ થાય છે અને અધર્મ નું જોર જામે છે ત્યારે ત્યારે હું અવતાર લાવું છું. એમ સ્વયં શ્રી  કૃષ્ણ  ભગવાને ગીતા માં કહ્યું  છે. 

શ્લોક અને ભજન .1

શ્લોક  અને ભજન .1