મુખ્ય સામગ્રી પર જાઓ

252 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 33 મી. વૈષ્ણવ 33 માં.

252 વૈષ્ણવોની વાર્તા.


વાર્તા 33 મી. વૈષ્ણવ 33 માં. શ્રીગુસાંઇજીના સેવક બ્રહ્મદાસની વાર્તા.પ્રસંગ 1 લો :-  એ ગોપાળપુરમાં રહેતાં હતા. વ્રજમાં ફરતા અને માનસી સેવા કરતા. માનસી સેવા તેમને સાક્ષાત્કાર થઈ ગઈ હતી. રાધાકુંડપર એક બંગાળી કૃષ્ણ ચૈતન્યનો સેવક રહેતો. એ બ્રહ્મદાસનો મિત્ર હતો, એ પણ માનસી સેવા કરતા અને દૂધ પીને રહેતા. પછી થોડા દિવસ રહીને દૂધ છોડી દીધું. અને છાસ પીવા લાગ્યા. એક દિવસ આ બંગાળીએ માનસી સેવા કરી. માનસીમાં દૂધ ભોગ ધર્યો અને પ્રસાદી દૂધ માનસીમાં પીધું. પછી હંમેશની છાસ લેવાનો વખત થયો ત્યારે તે શિષ્યે તેને ના કહી છતાં પણ પરાણે છાશ પાઈ. કારણ એણે માનસીમાં દૂધ પીધું હતું. એ શિષ્યને ખબર નહતી. આથી તે બંગાળીને તાવ આવ્યો. એ બ્રહ્મદાસ બંગાળીને જોવા આવ્યા. બ્રહ્મદાસ વૈદકમાં બહુ ચતુર હતા. તેમણે જોઈને કહ્યું તમે દૂધની ઉપર છાશ લીધી છે તેથી જ્વર આવ્યો છે. બંગાળીના શિષ્યે કહ્યું એમણે દૂધ પીધું નથી." ત્યારે એ બંગાળી બોલ્યો " તને શી ખબર છે" જે  ઘરનું મેં દૂધ પીધું છે તે ઘરમાં આ રહે છે. અને જયારે મેં પીધું તે વખતે ઘરમાં હતા. એ બ્રહ્મદાસજી એવા કૃપાપાત્ર હતા. બીજો કોઈ માણસ માનસી સેવા કરતો તે પોતાની માનસીના પ્રતાપથી તથા શ્રીગુસાંઇજીના પ્રતાપથી સર્વની માનસી જાણી લેતા. વાર્તા સંપૂર્ણ. વૈષ્ણવ 33 માં.

(સાર) સેવા ત્રણ પ્રકારની છે તનુજા,વિત્તજા માનસી. માનસી એ ઉત્તમ છે માત્ર શ્રીજીના પરમ કૃપાપાત્ર ભગવદીયોથીજ તે સિદ્ધ થઈ શકે છે.સામાન્ય વૈષ્ણવોએ તો તનુજા અને વિત્તજાજ કરવી જોઈએ. એ બેનો ત્યાગ કરીને માનસી કરવા જાય તો તે સિદ્ધ થઈ શકતી નથી, પ્રભુની કૃપા વગર તે બનતી નથી. માટે તનુજા અને વિત્તજા તેજ કરવી જોઈએ, અને તે દ્વારા ભાવનું ઉદબોધન થવું જોઈએ.





ટિપ્પણીઓ

MOST FAVORITE POST

252 વૈષ્ણવો ની વાર્તા. વાર્તા 3 જી. વૈષ્ણવ 3 જા.

252 વૈષ્ણવો ની વાર્તા  વાર્તા 3 જી. વૈષ્ણવ 3 જા.શ્રી ગુસાંઈજીના સેવક ચતુર્ભુજદાસ તે કુંભનદાસના બેટાની વાર્તા.

252 વૈષ્ણવો ની વાર્તા. વાર્તા 1 લી વૈષ્ણવ 1લા.

252 વૈષ્ણવો ની વાર્તા  વાર્તા 1 લી વૈષ્ણવ 1લા. શ્રી ગુસાંઈજીના સેવક ગોવિંદસ્વામી સાનોડીયા બ્રાહ્મણ મહાવનમાં રહેતા હતા તેમની વાર્તા।

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 51-થી-60)

______________________________________________________ બેઠક (51) મી શ્રી તોત્રાદ્રિ પર્વતની બેઠકનું  ચરિત્ર bethak (51) video click here to look શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક  તોત્રાદ્રિપર્વતની પાસે એક વડની નીચે છે. તેના નીચે આપ બિરાજ્યા હતા, કૃષ્ણદાસ મેઘને વિનંતી કરી, મહારાજ જળનું સ્થળ ક્યાંય દેખાતું નથી.  ત્યારે શ્રી આચાર્યજી એ આજ્ઞા કરી. કે મારી પાસે આં કદંબનું વૃક્ષ છે. ત્યાં કદંબની દક્ષિણ તરફ એક મોટી શીલા છે. તે શીલાને ઉપાડવાથી તેની નીચે એક જળ નું કુંડ નીકળશે. ત્યારે ત્યાં જઈને કૃષ્ણદાસે શીલા ઉઠાવી. તેની નીચે એક મોટો કુંડ નીકળ્યો, તેમાં પગથિયાં પણ બહુ સારાં હતા નીચે એક મોટો કુંડ નીકળ્યો, તેમાં પગથિયાં પણ બહુ સારા હતાં સેવકોએ તે કુંડનું નામ વલ્લભ કુંડ પાડ્યું. આ સમાચાર માયાવાદીઓ એ સાંભળ્યા કે શ્રી વલ્લભાચાર્યજી અહીં પધાર્યા છે, એણે વિદ્યાનગર તથા કાશીમાં માયામતનું ખંડન  કરી ભક્તિનું સ્થાપન કર્યું છે, અને અગ્નિ કુંડમાંથી  પ્રાગટ્ય હોવાથી તેનું અગ્નિ જેવું તેજ છે. માટે આપણામાંથી બે પંડિત  જઈને જોઈ આવો. બે પંડિતો ગયા જ...