મુખ્ય સામગ્રી પર જાઓ

Featured Post

84 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા.

84 વૈષ્ણવોની વાર્તા.  વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ના સેવક,  દામોદરદાસ હરસાનીની વાર્તા.

252 વૈષ્ણવો ની વાર્તા. વાર્તા 32 મી વૈષ્ણવ 32 માં.

252 વૈષ્ણવો ની વાર્તા.


વાર્તા 32 મી વૈષ્ણવ 32 માં શ્રીગુસાંઇજીના સેવક મધુસુધનદાસની વાર્તા.


પ્રસંગ 1 લો :- એક સમય મધુસુધનદાસ શ્રીગોકુળ આવ્યા અને શ્રીગુસાંઇજીના દર્શન કર્યા. મનમાં એવું થયું કે હું "શ્રીગુસાંઇજીનો સેવક થઉં તો ઠીક" તેથી શ્રીગુસાંઇજીને વિનંતી કરી "મને શરણે લ્યો" ત્યારે શ્રીગુસાંઇજીએ આજ્ઞા કરી ન્હાઈ આવો એટલે ન્હાઈ આવ્યા, શ્રીગુસાંઇજીએ પછી કૃપા કરીને નામ નિવેદન કરાવ્યું. મધુસુદનદાસનું ચિત્ત ઘણું પ્રસન્ન થયું પછીથી શ્રીગોકુળમાં તેમનું મન લાગ્યું. પુષ્ટિમાર્ગની રીતિ શીખવાને શ્રીગોકુળમાં રહેવા લાગ્યા. ભિક્ષાવૃતિ માંગીને નિર્વાહ કરવા લાગ્યા. એક દિવસ શ્રીગુસાંઇજીએ પૂછ્યું તમે ભિક્ષા ક્યાં ક્યાં માંગો છો" તેમણે કહ્યું "બધાના ઘરથી લાવું છું " શ્રીગુસાંઇજીએ કહ્યું "અમારા સેવક, ભટ્ટ કે નોકરને ઘરથી ભિક્ષા લેવી નહીં. કારણકે એમને ત્યાં અમારું દ્રવ્ય આવે છે. દેવ-દ્રવ્ય, ગુરુ-દ્રવ્ય, અને બ્રાહ્મણનું દ્રવ્ય લેનારની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. પછી મધુસુધનદાસ એ પ્રમાણે કરવા લાગ્યા. તેમની ચિત્ત વૃત્તિ સ્થિર જોઈને શ્રીગુસાંઇજીએ એમને પાનઘરની સેવા આપી. મધુસુધનદાસનું ચિત્ત સેવામાં એવું લાગ્યું કે જન્મભર શ્રીગુસાંઇજીની સેવાકરી એમની વાર્તા કેટલીક લખીએ. વાર્તા સંપૂર્ણ. વૈષ્ણવ 32 માં.

(સાર):- ગમે તેવી ખરાબ સ્થિતિ હોય તો પણ ગુરુના તથા તેમના સેવકો, વગેરેના ઘરના દ્રવ્યથી વૈષ્ણવે કદી નિર્વાહ ચલાવવો નહીં. તેમ કરવાથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. 



  

ટિપ્પણીઓ

MOST FAVORITE POST

શ્લોક અને ભજન .13

શ્લોક  અને ભજન .13 (1) તેરા સ્વરૂપ ન્યારા ન્યારા તમે વૈષ્ણવ ના છો વાલ્હા  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો  --------------------------------------------------------------------------------- (2) નંદ કે દ્વાર મચી હોરી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (3) હોરી આઈ રે કાના  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (4) ઓ પાલન હારે  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો -------------------------------------------------------------------------------------------------------------------------- (5) વલ્લભ કુળના વાહલા શ્રીનાથજી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------------------------------------------- (6) મારા શ્રીનાથજીને સોનાની ઘંટી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 1-થી-10)

                                                                      અર્થ   જ્યારે જ્યારે ધર્મ નો મહા ધ્વંસ થાય છે અને અધર્મ નું જોર જામે છે ત્યારે ત્યારે હું અવતાર લાવું છું. એમ સ્વયં શ્રી  કૃષ્ણ  ભગવાને ગીતા માં કહ્યું  છે. 

શ્લોક અને ભજન .1

શ્લોક  અને ભજન .1