મુખ્ય સામગ્રી પર જાઓ

252 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 29 મી, વૈષ્ણવ 29 માં.

252 વૈષ્ણવોની વાર્તા.

વાર્તા 29 મી, વૈષ્ણવ 29 માં. શ્રીગુસાંઇજીના સેવક માણિકચંદ ઓશવાલની વાર્તા. 

પ્રસંગ 1 લો :- આ માનિકચંદને શ્રીગુસાંઇજીનાં પૂર્ણપુરુષોત્તમનાં દર્શન થયાં. તે તથા એમની સ્ત્રી શ્રીગુસાંઇજીના સેવક થયા. અને પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું. સેવક થતી વખતે માનિકચંદે આ પદ ગાયું.

ચહું યુગ વેદ વચન પ્રતિ પાળ્યો.

વિગેરે ઘણાં પદ ગાયાં. પછીની માનિકચંદને શ્રીગુસાંઇજીએ આજ્ઞા કરી "તમે વેપાર કરો અને ઘરમાં રહીને શ્રીઠાકોરજીની સેવા કરો."ત્યારથી તે વેપાર કરવા લાગ્યા. જયારે તે વૃદ્ધ થયા, ત્યારે શ્રીઠાકોરજી પધરાવીને શ્રીગુસાંઇજીની પાસે આવીને રહ્યા. તેમને એવો નિયમ હતો, જો પાતળ પર મહાપ્રસાદ લેવાને બેસે તો પાતાળ પરનો મહાપ્રસાદ છાંડતા નહીં. એક દિવસ શ્રીગોકુળનાથજીના મંદિરમાં માનિકચંદજી પ્રસાદ લેવાને બેઠા હતા. ત્યારે સાચોરાએ જાણ્યું કે પાતાળ પર કશું છાંડતો નથી, અને પાતાળ ધોઈને પી જાય છે. તેથી મશ્કરી કરવાને માટે સાચોરાએ ભાતની નીચે ગોબર-છાણ ધર્યું. ત્યારે માનિકચંદ છાણ સહિત ખાઈ ગયા. આ વાતની ખબર શ્રીગોકુળનાથજીને પડી ત્યારે તેમણે હાથમાં જળ લીધું અને સાચોરાને શ્રાપ દીધો કે તમારા સાચોરા દેહથી તેમનો ઉદ્ધાર નહીં કરેતે દિવસથી સેવકીજ્લ પર્યત શ્રીગોકુળનાથજીના ઘરમાં સાચોરાને અડકવા દેતા નથી એવો બંદોબસ્ત કર્યો. આ માનિકચંદજી એવા કૃપાપાત્ર હતા. એમની કાન શ્રીગોકુળનાથજી એવી રાખતા હતા. જેને લીધે આજ સુધી સાચોરાઓને શ્રીગોકુળનાથજીની સેવામાં રાખવા દેવામાં આવતા નથી. વાર્તા સંપૂર્ણ. વૈષ્ણવ 29 માં. 

(સાર)- (1) વ વૈષ્ણવોએ અમુક પ્રકારનો નિયમ રાખવો જોઈએ. (2) મહાપ્રસાદ લેતી વખતે એમાંથી એક પણ કણ નીચે પડે નહીં. તથા કંઈપણ છંડાય નહીં એવી કાળજી રાખવી. કોઈ પણ કણ જો નીચે પડે અને કોઈ ના પગ નીચે આવે તો પ્રભુનો મોટો અપરાધ થાય છે.(3) પોતાના ભક્તોનો બીજો કોઈ અપરાધ કરે તો તે પ્રભુ સહન કરતા નથી. જો કોઈ બહિર્મુખ વૈષ્ણવની મશ્કરી કરે અથવા તો અપરાધ કરે તો પણ તેણે ગુસ્સે થવું નહીં. પણ ચિત્તની વૃત્તિપર નિરોધ રાખી ને શાંતિથી નિયમ પ્રમાણે પોતે જેમ કરતા હોય તેમ કર્યા જવું. ધ્યાન એટલું રાખવાનું છે કે કંઈપણ આડંબરથી ના કરવું. અને નેક છોડવો નહીં પ્રભુ જરૂર અપરાધીઓને શિક્ષા કરે છે જ.
  
  આ માણિકચંદના શ્રીઠાકોરજી શ્રીબાળકૃષ્ણજી હતા. તે હાલમાં મુંબઈમાં સુરતવાળા શ્રીગિરિધરલાલજી મહારાજને માથે બિરાજે છે. 
  


   

 


 

ટિપ્પણીઓ

MOST FAVORITE POST

252 વૈષ્ણવો ની વાર્તા. વાર્તા 3 જી. વૈષ્ણવ 3 જા.

252 વૈષ્ણવો ની વાર્તા  વાર્તા 3 જી. વૈષ્ણવ 3 જા.શ્રી ગુસાંઈજીના સેવક ચતુર્ભુજદાસ તે કુંભનદાસના બેટાની વાર્તા.

252 વૈષ્ણવો ની વાર્તા. વાર્તા 1 લી વૈષ્ણવ 1લા.

252 વૈષ્ણવો ની વાર્તા  વાર્તા 1 લી વૈષ્ણવ 1લા. શ્રી ગુસાંઈજીના સેવક ગોવિંદસ્વામી સાનોડીયા બ્રાહ્મણ મહાવનમાં રહેતા હતા તેમની વાર્તા।

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 51-થી-60)

______________________________________________________ બેઠક (51) મી શ્રી તોત્રાદ્રિ પર્વતની બેઠકનું  ચરિત્ર bethak (51) video click here to look શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક  તોત્રાદ્રિપર્વતની પાસે એક વડની નીચે છે. તેના નીચે આપ બિરાજ્યા હતા, કૃષ્ણદાસ મેઘને વિનંતી કરી, મહારાજ જળનું સ્થળ ક્યાંય દેખાતું નથી.  ત્યારે શ્રી આચાર્યજી એ આજ્ઞા કરી. કે મારી પાસે આં કદંબનું વૃક્ષ છે. ત્યાં કદંબની દક્ષિણ તરફ એક મોટી શીલા છે. તે શીલાને ઉપાડવાથી તેની નીચે એક જળ નું કુંડ નીકળશે. ત્યારે ત્યાં જઈને કૃષ્ણદાસે શીલા ઉઠાવી. તેની નીચે એક મોટો કુંડ નીકળ્યો, તેમાં પગથિયાં પણ બહુ સારાં હતા નીચે એક મોટો કુંડ નીકળ્યો, તેમાં પગથિયાં પણ બહુ સારા હતાં સેવકોએ તે કુંડનું નામ વલ્લભ કુંડ પાડ્યું. આ સમાચાર માયાવાદીઓ એ સાંભળ્યા કે શ્રી વલ્લભાચાર્યજી અહીં પધાર્યા છે, એણે વિદ્યાનગર તથા કાશીમાં માયામતનું ખંડન  કરી ભક્તિનું સ્થાપન કર્યું છે, અને અગ્નિ કુંડમાંથી  પ્રાગટ્ય હોવાથી તેનું અગ્નિ જેવું તેજ છે. માટે આપણામાંથી બે પંડિત  જઈને જોઈ આવો. બે પંડિતો ગયા જ...