મુખ્ય સામગ્રી પર જાઓ

252 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 49 મી, વૈષ્ણવ 49 માં.

252વૈષ્ણવોની વાર્તા. 


વાર્તા 49 મી. વૈષ્ણવ 49 માં. શ્રીગુસાંઇજીના સેવક કુંજરીની વાર્તા.

પ્રસંગ 1 લો :- એક દિવસ શ્રીગુંસાઈજી ગોપાલપુરથી શ્રીગોકુળ પધારતા હતા. રસ્તામાં એક કુંજરી તરસથી ગભરાઈને પડી હતી. ત્યારે શ્રીગુસાંઇજીએ ખવાસને કહ્યું "તરસને લીધે આ લુગાઈના પ્રાણ નીકળે છે" પછીથી પોતાના ખવાસને કહ્યું "આપણી ઝારીમાંથી એને જળ પાવો." ખવાસે કહ્યું "ઝારી છુવાઈ જશે." શ્રીગુસાંઇજીએ કહ્યું "ઝારી તો બીજી આવશે પણ આનો પ્રાણ તો બચશે." પછી એને જળ પાયું તેથી તે ચેતન થઈ. પછીથી આ કુંજરી પોતાનું બધું દ્રવ્ય લઈને શ્રીગોકુળમાં આવીને રહી. દિવસે દુકાન માંડીને બેસે, રાત્રે ગામ બહાર જઈને રહે. કારણકે શ્રીગોકુળમાં મુસલમાનને રાત રહેવાનો બાદશાહનો હુકમ ન હતો. તે વખતે આ કુંજરી ઉત્તમ મેવા મંગાવીને વેચતી. જે કોઈ મંદિરમાં મેવા પહોંચડાવે તેની પાસે દામ થોડા લેતી. તે મનમાં એમ સમજતી કે આ રીતે મારુ દ્રવ્ય અંગીકાર થશે આમ કરતા કરતા આ કુંજરીએ આખો જન્મારો શ્રીગોકુળમાં વ્યતીત કર્યો. શ્રીગુંસાઈજી શ્રીયમુનાજીના ઘાટ ઉપર પધારતા ત્યારે આ કુંજરીને હમેશાં દર્શન થતાં. તે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ જાણીને શ્રીગોકુળમાં રહેતી હતી. જ્યાં સુધી આની દેહ રહી ત્યાં સુધી એને એ પ્રમાણે પૂર્ણ પુરુષોત્તમના દર્શન થતાં હતાં. આ કુંજરી શ્રીગુસાંઇજીની એવી કૃપાપાત્ર ભગવદીય હતી. વાર્તા સંપૂર્ણ. વૈષ્ણવ 49 માં. 








ટિપ્પણીઓ

MOST FAVORITE POST

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 1-થી-10)

                                                                      અર્થ   જ્યારે જ્યારે ધર્મ નો મહા ધ્વંસ થાય છે અને અધર્મ નું જોર જામે છે ત્યારે ત્યારે હું અવતાર લાવું છું. એમ સ્વયં શ્રી  કૃષ્ણ  ભગવાને ગીતા માં કહ્યું  છે. 

252 વૈષ્ણવો ની વાર્તા. વાર્તા 1 લી વૈષ્ણવ 1લા.

252 વૈષ્ણવો ની વાર્તા  વાર્તા 1 લી વૈષ્ણવ 1લા. શ્રી ગુસાંઈજીના સેવક ગોવિંદસ્વામી સાનોડીયા બ્રાહ્મણ મહાવનમાં રહેતા હતા તેમની વાર્તા।

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 51-થી-60)

______________________________________________________ બેઠક (51) મી શ્રી તોત્રાદ્રિ પર્વતની બેઠકનું  ચરિત્ર bethak (51) video click here to look શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક  તોત્રાદ્રિપર્વતની પાસે એક વડની નીચે છે. તેના નીચે આપ બિરાજ્યા હતા, કૃષ્ણદાસ મેઘને વિનંતી કરી, મહારાજ જળનું સ્થળ ક્યાંય દેખાતું નથી.  ત્યારે શ્રી આચાર્યજી એ આજ્ઞા કરી. કે મારી પાસે આં કદંબનું વૃક્ષ છે. ત્યાં કદંબની દક્ષિણ તરફ એક મોટી શીલા છે. તે શીલાને ઉપાડવાથી તેની નીચે એક જળ નું કુંડ નીકળશે. ત્યારે ત્યાં જઈને કૃષ્ણદાસે શીલા ઉઠાવી. તેની નીચે એક મોટો કુંડ નીકળ્યો, તેમાં પગથિયાં પણ બહુ સારાં હતા નીચે એક મોટો કુંડ નીકળ્યો, તેમાં પગથિયાં પણ બહુ સારા હતાં સેવકોએ તે કુંડનું નામ વલ્લભ કુંડ પાડ્યું. આ સમાચાર માયાવાદીઓ એ સાંભળ્યા કે શ્રી વલ્લભાચાર્યજી અહીં પધાર્યા છે, એણે વિદ્યાનગર તથા કાશીમાં માયામતનું ખંડન  કરી ભક્તિનું સ્થાપન કર્યું છે, અને અગ્નિ કુંડમાંથી  પ્રાગટ્ય હોવાથી તેનું અગ્નિ જેવું તેજ છે. માટે આપણામાંથી બે પંડિત  જઈને જોઈ આવો. બે પંડિતો ગયા જ...