મુખ્ય સામગ્રી પર જાઓ

252 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 41 મી. વૈષ્ણવ 41 માં.

252 વૈષ્ણવોની વાર્તા.


વાર્તા 41 મી. વૈષ્ણવ 41 માં. શ્રીગુસાંઇજીના સેવક દિલ્હીમાં રહેતાં હતાં તેમની વાર્તા.  પ્રસંગ 1 લો :- આ વૈષ્ણવ શ્રીનાથજીનાં દર્શન કરવાને ગયા. દર્શન કરીને બહુજ પ્રસન્ન થયા. પણ શ્રીરામચંદ્રજીનો મહિમા એમણે બહુજ સાંભળ્યો હતો. તેથી મનમાં એવું આવ્યું કે અયોધ્યામાં શ્રીરામચંદ્રજીનાં દર્શન કરું તો ઠીક. તેથી શ્રીગુંસાઈજીની આજ્ઞા માંગીને શ્રીરામચંદ્રજીનાં દર્શન કરવાને ગયાં. જયારે શ્રીરામચંદ્રજીનાં દર્શન કર્યા ત્યારે એમના મનમાં અભાવ આવ્યો. કે શ્રીનાથજીના જેવું સુખ અહીંઆ નથી. તેથી વાંકી પીઠ કરીને ઉભા રહ્યાં. આથી એમને કોઢ નીકળ્યો. ત્યારે શ્રીરામચંદ્રજીને કહ્યું,"શ્રીનાથજીને છોડીને હું તમારી પાસે આવ્યો છું. તે મારો અપરાધ થયો છે. કોઢથી મારા અપરાધની નિવૃત્તિ નહીં થાય. મને વાળે વાળમાં કીડા પડવા જોએઈએ. તોજ મારો અપરાધ દૂર થશે. એવાં અનન્યતાનાં વચન સાંભળીને શ્રીરામચંદ્રજી હસ્યાં અને આજ્ઞા કરી, "જાવ, શ્રીનાથજીનાં દર્શન કરો." શ્રીરામચંદ્રજીનાં વચન સાંભળીને આનો કોઢ મટી ગયો. આવીને શ્રીનાથજીના દર્શન કર્યા. એ વૈષ્ણવ એવા અનન્ય હતા. એમની અનન્યતા જોઈને શ્રીનાથજી પ્રસન્ન થયા. અને સર્વ પ્રકારનો અનુભવ જણાવ્યો. વૈષ્ણવ 41 માં. 

(સાર) આ માર્ગમાં અન્યાશ્રય એ મહાબાધક છે. પુષ્ટિમાર્ગીય સેવ્ય પ્રભુ સિવાય બીજામાં જો ચિત્ત ખેંચાય તો તે બાધક કર્તા છે. માટે શ્રીનાથજીનાં તથા તેમનાં વંશજોનાં જે સેવ્ય સ્વરૂપ છે તેમનાં અનન્યભાવથી દર્શન કરવાં જોઈએ. 




  

ટિપ્પણીઓ

MOST FAVORITE POST

252 વૈષ્ણવો ની વાર્તા. વાર્તા 3 જી. વૈષ્ણવ 3 જા.

252 વૈષ્ણવો ની વાર્તા  વાર્તા 3 જી. વૈષ્ણવ 3 જા.શ્રી ગુસાંઈજીના સેવક ચતુર્ભુજદાસ તે કુંભનદાસના બેટાની વાર્તા.

252 વૈષ્ણવો ની વાર્તા. વાર્તા 1 લી વૈષ્ણવ 1લા.

252 વૈષ્ણવો ની વાર્તા  વાર્તા 1 લી વૈષ્ણવ 1લા. શ્રી ગુસાંઈજીના સેવક ગોવિંદસ્વામી સાનોડીયા બ્રાહ્મણ મહાવનમાં રહેતા હતા તેમની વાર્તા।

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 51-થી-60)

______________________________________________________ બેઠક (51) મી શ્રી તોત્રાદ્રિ પર્વતની બેઠકનું  ચરિત્ર bethak (51) video click here to look શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક  તોત્રાદ્રિપર્વતની પાસે એક વડની નીચે છે. તેના નીચે આપ બિરાજ્યા હતા, કૃષ્ણદાસ મેઘને વિનંતી કરી, મહારાજ જળનું સ્થળ ક્યાંય દેખાતું નથી.  ત્યારે શ્રી આચાર્યજી એ આજ્ઞા કરી. કે મારી પાસે આં કદંબનું વૃક્ષ છે. ત્યાં કદંબની દક્ષિણ તરફ એક મોટી શીલા છે. તે શીલાને ઉપાડવાથી તેની નીચે એક જળ નું કુંડ નીકળશે. ત્યારે ત્યાં જઈને કૃષ્ણદાસે શીલા ઉઠાવી. તેની નીચે એક મોટો કુંડ નીકળ્યો, તેમાં પગથિયાં પણ બહુ સારાં હતા નીચે એક મોટો કુંડ નીકળ્યો, તેમાં પગથિયાં પણ બહુ સારા હતાં સેવકોએ તે કુંડનું નામ વલ્લભ કુંડ પાડ્યું. આ સમાચાર માયાવાદીઓ એ સાંભળ્યા કે શ્રી વલ્લભાચાર્યજી અહીં પધાર્યા છે, એણે વિદ્યાનગર તથા કાશીમાં માયામતનું ખંડન  કરી ભક્તિનું સ્થાપન કર્યું છે, અને અગ્નિ કુંડમાંથી  પ્રાગટ્ય હોવાથી તેનું અગ્નિ જેવું તેજ છે. માટે આપણામાંથી બે પંડિત  જઈને જોઈ આવો. બે પંડિતો ગયા જ...