મુખ્ય સામગ્રી પર જાઓ

252 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 48 મી, વૈષ્ણવ 48 માં.

252 વૈષ્ણવોની વાર્તા. 

વાર્તા 48 મી, વૈષ્ણવ 48 માં. શ્રીગુસાંઇજીના સેવક બીરબલની પુત્રીની વાર્તા. 


પ્રસંગ 1 લો :- એક દિવસ શ્રીગુસાંઇજીના આગ્રા પધાર્યા હતા. બીરબલની બેટીને શ્રીગુસાંઇજીનાં દર્શન સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનાં થયાં. તેથી બીરબલની બેટી શ્રીગુસાંઇજીની સેવક થઈ નિત્ય કથા સાંભળવાને શ્રીગુંસાઈજી પાસે જતી. કથામાં જે સાંભળતી તે મનમાં લખી રાખતી. એક પણ અક્ષર ભૂલતી નહીં. દિવસ અને રાત આ કથાનો અનુભવ કરતી. એક દિવસે બીરબલને બાદશાહે પૂછ્યું સાહેબને શી રીતે મલાય ? એ નિશ્ચય કરીને કહો ત્યારે બીરબલે સઘળા પંડિતોને તથા મહંતોને પૂછ્યું પણ એમનું કહ્યું કશું નજરમાં આવ્યું નહીં. તેથી બહુ જ ચિંતાતુર થયા. અને એવોડર લાગ્યો " બાદશાહ મને લૂંટી લેશે" ત્યારે બેટીએ કહ્યું આનો ઉત્તર શ્રીગુંસાઈજી દેશે, ત્યારે બીરબલ શ્રીગોકુળ આવ્યા. શ્રીગુસાંઇજીને વિનંતી કરી, ત્યારે શ્રીગુંસાઈજીએ આજ્ઞા કરી "આનો ઉત્તર બાદશાહને એકાંતમાં દઈશું" ત્યારે બીરબલે બાદશાહને કહ્યું "ત્યારે બાદશાહ શ્રીગોકુળ આવ્યા. બીરબલ પણ સંગ આવ્યા. બીરબલ આવીને બાદશાહના મુકામ પર શ્રીગુસાંઇજીને પધરાવીને લઈ ગયા. બાદશાહે એકાંતમાં શ્રીગુંસાઈજી ને પૂછ્યું "સાહેબ શી રીતે મળે ? એનો ઉપાય બતાવો. શ્રીગુસાંઇજીએ લૌકિક રીતથી ઉત્તર આપ્યો "જેવી રીતે તમે અમને મળો છો તેવી રીતે સાહેબ મળે છે." બાદશાહે કહ્યું એનું કારણ સમજાવો. શ્રીગુંસાઈજીએ કહ્યું "અમે હઝારો ઉપાય કરીએ તોપણ તમને મળવું કઠણ છે. પણ જો તમે વિચારો તો ઘડી પણ લાગતી નથી. તર્તજ અમને મળી જાવ છો. તે પ્રમાણે જીવ હજારો ઉપાય કરે તો પણ સાહેબ મળતા નથી. સાહેબ વિચારે તો જલદીથી મળે છે. જીવની પાસે કોઈપણ ઉપાય નથી. સાહેબની મરજી હોય તો ક્ષણ એક પણ ન લાગે. આ સાંભળીને બાદશાહ ઘણોજ પ્રસન્ન થયો. શ્રીગુસાંઇજીને દંડવત કર્યા અને વિનંતી કરી. મારો અંગીકાર કરો. પછીથી શ્રીગુસાંઇજીએ કહ્યું "અમારે ગોપાલપુર જવું છે. તો એક ઘંટામાં ત્યાં પહોંચાય એવી અસ્વારી હોય તો ઠીક. બાદશાહે એવો ઘોડો આપ્યો. તે ઘોડો એક ઘંટામાં (કલાકમાં) દશ કોશ જતો હતો ઘોડાનાં ખર્ચમાં શ્રીગોકુળ તથા ગોપાલપુર એમ બે ગામ આપ્યાં અને દંડવત કર્યા અને આગ્રામાં ગયા. આ ઘોડાપર બેસીને શ્રીગુંસાઈજી હમેશાં ગોપાલપુર પધારતા. પછીથી શ્રીગોકુલ આવતાં આ ઘોડાની વાત ગોપાલદાસજીએ સપ્તમવલ્લભાખ્યાનમાં ગાઈ છે

"તુરંગ ચાલે વાયુવેગે ઉતાવળા જાણે નૌકા ચાલી સીધું તરવા"

એવી રીતથી ગોપાળદાસજીએ વર્ણન કર્યું છે. એ બીરબલની બેટી એવી કૃપાપાત્ર હતી. અને શ્રીગુંસાઈજી ઉપર એવો વિશ્વાસ હતો એમની વાર્તા કેટલીક કહીએ. વાર્તા સંપૂર્ણ. વૈષ્ણવ 48 માં. 

(સાર) 

 


ટિપ્પણીઓ

MOST FAVORITE POST

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 1-થી-10)

                                                                      અર્થ   જ્યારે જ્યારે ધર્મ નો મહા ધ્વંસ થાય છે અને અધર્મ નું જોર જામે છે ત્યારે ત્યારે હું અવતાર લાવું છું. એમ સ્વયં શ્રી  કૃષ્ણ  ભગવાને ગીતા માં કહ્યું  છે. 

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 51-થી-60)

______________________________________________________ બેઠક (51) મી શ્રી તોત્રાદ્રિ પર્વતની બેઠકનું  ચરિત્ર bethak (51) video click here to look શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક  તોત્રાદ્રિપર્વતની પાસે એક વડની નીચે છે. તેના નીચે આપ બિરાજ્યા હતા, કૃષ્ણદાસ મેઘને વિનંતી કરી, મહારાજ જળનું સ્થળ ક્યાંય દેખાતું નથી.  ત્યારે શ્રી આચાર્યજી એ આજ્ઞા કરી. કે મારી પાસે આં કદંબનું વૃક્ષ છે. ત્યાં કદંબની દક્ષિણ તરફ એક મોટી શીલા છે. તે શીલાને ઉપાડવાથી તેની નીચે એક જળ નું કુંડ નીકળશે. ત્યારે ત્યાં જઈને કૃષ્ણદાસે શીલા ઉઠાવી. તેની નીચે એક મોટો કુંડ નીકળ્યો, તેમાં પગથિયાં પણ બહુ સારાં હતા નીચે એક મોટો કુંડ નીકળ્યો, તેમાં પગથિયાં પણ બહુ સારા હતાં સેવકોએ તે કુંડનું નામ વલ્લભ કુંડ પાડ્યું. આ સમાચાર માયાવાદીઓ એ સાંભળ્યા કે શ્રી વલ્લભાચાર્યજી અહીં પધાર્યા છે, એણે વિદ્યાનગર તથા કાશીમાં માયામતનું ખંડન  કરી ભક્તિનું સ્થાપન કર્યું છે, અને અગ્નિ કુંડમાંથી  પ્રાગટ્ય હોવાથી તેનું અગ્નિ જેવું તેજ છે. માટે આપણામાંથી બે પંડિત  જઈને જોઈ આવો. બે પંડિતો ગયા જ...

252 વૈષ્ણવો ની વાર્તા. વાર્તા 1 લી વૈષ્ણવ 1લા.

252 વૈષ્ણવો ની વાર્તા  વાર્તા 1 લી વૈષ્ણવ 1લા. શ્રી ગુસાંઈજીના સેવક ગોવિંદસ્વામી સાનોડીયા બ્રાહ્મણ મહાવનમાં રહેતા હતા તેમની વાર્તા।