મુખ્ય સામગ્રી પર જાઓ

252 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 27 મી. વૈષ્ણવ 27 માં.

252 વૈષ્ણવોની વાર્તા. 


વાર્તા 27 મી. વૈષ્ણવ 27 માં. શ્રીગુસાંઇજીના સેવક હરજીકોઠારીની વાર્તા. પ્રસંગ 1 લો :- એ ત્રણ ભાઈ હતા જયારે શ્રીગુંસાઈજી અસારવા પધારતા ત્યારે એ ત્રણે ભાઈઓનાં મન પ્રસન્ન રાખતા. એકને ઘેર સુઈ જતા, એકને ઘેર ભોજન કરતા, એકને ઘેર બેઠક રાખતા. આ ત્રણ ભાઈઓમાં હરજીકોઠારી પંડિત હતા. આ હરજી કોઠારીએ શ્રીવિઠ્ઠલ સહસ્ત્ર નામનો ગ્રંથ પ્રકટ કર્યો છે. શ્રીગુંસાઈજીને પૂર્ણ પુરુષોત્તમ જાણતા હતા. ત્રણે ભાઈઓ આવા કૃપાપાત્ર હતા. અત્યાર સુધી અસારવામાં એમનાજ ઘરમાં શ્રીગુંસાઈજીની બેઠક પ્રસિદ્ધ છે. વાર્તા સંપૂર્ણ વૈષ્ણવ 27 માં. 

(સાર) ભક્તનું ઘર પણ પોતાનું ઘર સમાજે છે. પ્રભુ 
 આ હરજીવન કોઠારીના શ્રીઠાકોરજી શ્રીમદનમોહનજી હાલમાં શ્રીગોકુળમાં શ્રીગોવર્ધનલાલજી મહારાજને માથે બિરાજે છે. વાર્તા સંબંધે વધુ માહિતી "તીર્થ યાત્રાનો અહેવાલ" આ પુસ્તકમાં આપી છે ત્યાં જોવું.
  



ટિપ્પણીઓ

MOST FAVORITE POST

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 1-થી-10)

                                                                      અર્થ   જ્યારે જ્યારે ધર્મ નો મહા ધ્વંસ થાય છે અને અધર્મ નું જોર જામે છે ત્યારે ત્યારે હું અવતાર લાવું છું. એમ સ્વયં શ્રી  કૃષ્ણ  ભગવાને ગીતા માં કહ્યું  છે. 

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 51-થી-60)

______________________________________________________ બેઠક (51) મી શ્રી તોત્રાદ્રિ પર્વતની બેઠકનું  ચરિત્ર bethak (51) video click here to look શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક  તોત્રાદ્રિપર્વતની પાસે એક વડની નીચે છે. તેના નીચે આપ બિરાજ્યા હતા, કૃષ્ણદાસ મેઘને વિનંતી કરી, મહારાજ જળનું સ્થળ ક્યાંય દેખાતું નથી.  ત્યારે શ્રી આચાર્યજી એ આજ્ઞા કરી. કે મારી પાસે આં કદંબનું વૃક્ષ છે. ત્યાં કદંબની દક્ષિણ તરફ એક મોટી શીલા છે. તે શીલાને ઉપાડવાથી તેની નીચે એક જળ નું કુંડ નીકળશે. ત્યારે ત્યાં જઈને કૃષ્ણદાસે શીલા ઉઠાવી. તેની નીચે એક મોટો કુંડ નીકળ્યો, તેમાં પગથિયાં પણ બહુ સારાં હતા નીચે એક મોટો કુંડ નીકળ્યો, તેમાં પગથિયાં પણ બહુ સારા હતાં સેવકોએ તે કુંડનું નામ વલ્લભ કુંડ પાડ્યું. આ સમાચાર માયાવાદીઓ એ સાંભળ્યા કે શ્રી વલ્લભાચાર્યજી અહીં પધાર્યા છે, એણે વિદ્યાનગર તથા કાશીમાં માયામતનું ખંડન  કરી ભક્તિનું સ્થાપન કર્યું છે, અને અગ્નિ કુંડમાંથી  પ્રાગટ્ય હોવાથી તેનું અગ્નિ જેવું તેજ છે. માટે આપણામાંથી બે પંડિત  જઈને જોઈ આવો. બે પંડિતો ગયા જ...

252 વૈષ્ણવો ની વાર્તા. વાર્તા 1 લી વૈષ્ણવ 1લા.

252 વૈષ્ણવો ની વાર્તા  વાર્તા 1 લી વૈષ્ણવ 1લા. શ્રી ગુસાંઈજીના સેવક ગોવિંદસ્વામી સાનોડીયા બ્રાહ્મણ મહાવનમાં રહેતા હતા તેમની વાર્તા।