મુખ્ય સામગ્રી પર જાઓ

252 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 36 મી. વૈષ્ણવ 36 માં.

252 વૈષ્ણવોની વાર્તા।  


વાર્તા 36 મી. વૈષ્ણવ 36 માં. શ્રી ગુસાંઈજીના સેવક વ્રજવાસીની વહુની વાર્તા. પ્રસંગ 1 લો :- દિવસે તે પોતાના સાસરે આવી તેજ દિવસે તેની ભેંસ ખોવાઈ ગઈ. ત્યારે ઘરનાં માણસો કહેવા લાગ્યાં."વહુનાં પગલાં સારાં નથી. જે દિવસે તે અહીંયા આવી તેજ દિવસે ભેંસ ખોવાઈ ગઈ." ત્યારે આ વહુના મનમાં ચિતા થઈ. એણે શ્રીનાથજીને સવાશેર માખણ માન્યું. તેથી પાંચ સાત દિવસમાં ભેંસ મળી ગઈ. પછીથી એ વહુ ભેંસની છાશ વલોવવા લાગી તે દરરોજ છ ટાંક માખણ ચોરી લેતી. બીજે દિવસે વાસી માખણ સારામાં મેળવી લે અને સારું કાઢી લે. જયારે સવાશેર માખણ થયું ત્યારે તે લઈ શ્રીનાથજીને આરોગાવા ગઈ, જતાં વિચાર થયો" કોઈ મને જોઈ જશે તો હું શો જવાબ દઈશ. તેથી આગળ જવાય નહીં તેમ પાછા પણ અવાય નહીં. શ્રીનાથજી એને ચિંતાતુર જોઈને પધાર્યા શ્રીનાથજીએ એવું જાણ્યું "આ મારા વગર બીજા દેવને જાણતી નથી તેથી પધાર્યા. એનું માખણ લઈને આરોગ્યા. એ વહુ એવાં કૃપાપાત્ર હતાં. વાર્તા સંપૂર્ણ વૈષ્ણવ 36માં.

(સાર) પ્રભુમાં શ્રદ્ધા હોય તો સર્વ લૌકિક ચિંતાઓ દૂર થઈ જાય છે.  

  

 

  

ટિપ્પણીઓ

MOST FAVORITE POST

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 1-થી-10)

                                                                      અર્થ   જ્યારે જ્યારે ધર્મ નો મહા ધ્વંસ થાય છે અને અધર્મ નું જોર જામે છે ત્યારે ત્યારે હું અવતાર લાવું છું. એમ સ્વયં શ્રી  કૃષ્ણ  ભગવાને ગીતા માં કહ્યું  છે. 

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 51-થી-60)

______________________________________________________ બેઠક (51) મી શ્રી તોત્રાદ્રિ પર્વતની બેઠકનું  ચરિત્ર bethak (51) video click here to look શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક  તોત્રાદ્રિપર્વતની પાસે એક વડની નીચે છે. તેના નીચે આપ બિરાજ્યા હતા, કૃષ્ણદાસ મેઘને વિનંતી કરી, મહારાજ જળનું સ્થળ ક્યાંય દેખાતું નથી.  ત્યારે શ્રી આચાર્યજી એ આજ્ઞા કરી. કે મારી પાસે આં કદંબનું વૃક્ષ છે. ત્યાં કદંબની દક્ષિણ તરફ એક મોટી શીલા છે. તે શીલાને ઉપાડવાથી તેની નીચે એક જળ નું કુંડ નીકળશે. ત્યારે ત્યાં જઈને કૃષ્ણદાસે શીલા ઉઠાવી. તેની નીચે એક મોટો કુંડ નીકળ્યો, તેમાં પગથિયાં પણ બહુ સારાં હતા નીચે એક મોટો કુંડ નીકળ્યો, તેમાં પગથિયાં પણ બહુ સારા હતાં સેવકોએ તે કુંડનું નામ વલ્લભ કુંડ પાડ્યું. આ સમાચાર માયાવાદીઓ એ સાંભળ્યા કે શ્રી વલ્લભાચાર્યજી અહીં પધાર્યા છે, એણે વિદ્યાનગર તથા કાશીમાં માયામતનું ખંડન  કરી ભક્તિનું સ્થાપન કર્યું છે, અને અગ્નિ કુંડમાંથી  પ્રાગટ્ય હોવાથી તેનું અગ્નિ જેવું તેજ છે. માટે આપણામાંથી બે પંડિત  જઈને જોઈ આવો. બે પંડિતો ગયા જ...

252 વૈષ્ણવો ની વાર્તા. વાર્તા 3 જી. વૈષ્ણવ 3 જા.

252 વૈષ્ણવો ની વાર્તા  વાર્તા 3 જી. વૈષ્ણવ 3 જા.શ્રી ગુસાંઈજીના સેવક ચતુર્ભુજદાસ તે કુંભનદાસના બેટાની વાર્તા.