મુખ્ય સામગ્રી પર જાઓ

252 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 19 મી. વૈષ્ણવ 19 માં.

252 વૈષ્ણવોની વાર્તા.


વાર્તા 19 મી. વૈષ્ણવ 19 માં. શ્રી ગુસાંઇજીના સેવક માધવદાસક્ષત્રી ની વાર્તા. 


પ્રસંગ 1 લો :- એ માધવદાસ કાબુલમાં રહેતા હતા. એક વખત ભૈયા રુપમુરારી દેશાધિપતી ની સાથે કાબુલ ગયા. ત્યાં બજારમાં માધવદાસને માથે તિલક જોઈને પૂછવા લાગ્યાં. "તમે કોણ છો ? અને આ તિલક કેમ કર્યું છે ?" ત્યારે માધવદાસે કહ્યું" હું શ્રીગુસાંઇજીનો સેવક છું " રુપમુરારીએ કહ્યું "હું પણ શ્રીગુસાંઇજીનો સેવક છું. " ત્યારે માધવદાસ ઘણા પ્રસન્ન થયા. એટલામાં માધવદાસ ઉઠીને આંચળ ફેરવવા લાગ્યા. ત્યારે રુપમુરારીએ પૂછ્યું "આ શું છે " ત્યારે તેમણે કહ્યું શ્રીનાથજી ગાય ચરાવીને વ્રજમાં પધારે છે તેથી આંચળ વારુ છું " ત્યારે રુપમુરારી એ સાંભળીને ઘણા વિસ્મય પામ્યા. એવું આશ્ચર્ય થયું કે શ્રીનાથજી એમને અહીંયા દર્શન દે છે ! ત્યારે મનમાં એમની ઘણી સરાહના કરી. માધવદાસે શ્રીનાથજીનો જે શૃંગાર કહ્યો તે રુપમુરારીએ લખી લીધો. પછીથી માધવદાસને ઘેર જઈને શ્રીઠાકોરજીના દર્શન કર્યાં. તો સાક્ષાત શ્રીગોવર્ધનનાથજી નાં દર્શન થયાં. અને મનમાં કહ્યું કે "મારુ મોટું ભાગ્ય છે. કે જો કે મ્લેચ્છ દેશમાં છું છતાં પણ મને આવો વૈષ્ણવનો સંગ થયો. " ફરીથી કેટલાક દિવસ રહીને ચાલવા લાગ્યા. માધવદાસે કહ્યું " તમે થોડા દિવસ રહો. એ પૃથ્વીપતિ ( બાદશાહ ) વીસ મજલ જશે તો હું તમને એક દિવસમાં પહોંચાડી દઈશ. " આથી  રુપમુરારી ત્યાં રહ્યાં. વીસ દિવસ પછી માધવદાસજી રુપમુરારીની સાથે ઘોડા ઉપર બેસીને પર્વતમાંથી બીજો રસ્તો શોધી કાઢયો ને 80 ગાઉ જેટલો રસ્તો એક રાતમાં પહોંચી ગયા. આ રસ્તામાં ચોર બહુ હતા, પણ માધવદાસને તથા રુપમુરારીને કોઈએ દીઠા નહીં. આખી રાત રસ્તામાં ભગવદવાર્તા કરતા કરતા આવ્યા. માધવદાસે કહ્યું "હું હરિદ્વારમાં શ્રીગુસાંઇજીનો સેવક થયો હતો." ત્યારે રુપમુરારીને ઘણું આશ્ચર્ય થયું." શ્રીનાથજી વ્રજલીલા સહિત એમને દર્શન દે છે. તેથી તેમની ઉપર શ્રીગુસાંઇજીની ઘણી કૃપા છે. ત્યારે માધવદાસ રુપમુરારીથી વિદાય થઈને પોતાને ઘેર આવ્યા. એ માધવદાસ એવા કૃપાપાત્ર હતા. તેમને શ્રીનાથજી કાબુલમાં નિત્ય દર્શન આપતાં હતા. વાર્તા સંપૂર્ણ. વૈષ્ણવ 19 માં.

(સાર) પ્રભુતો કેવળ ભાવને વશ છે. સાધનને વશ નથી. નંદદાસજીએ પણ એવું કહ્યું છે. 

યદ્યપિ અગમ તેં અગમ હે, નિગમ કહત હૈં જાહી;
તદપિ રંગીલે પ્રેમવશ નિપટ નિકટ હરિ આહી.





ટિપ્પણીઓ

MOST FAVORITE POST

252 વૈષ્ણવો ની વાર્તા. વાર્તા 3 જી. વૈષ્ણવ 3 જા.

252 વૈષ્ણવો ની વાર્તા  વાર્તા 3 જી. વૈષ્ણવ 3 જા.શ્રી ગુસાંઈજીના સેવક ચતુર્ભુજદાસ તે કુંભનદાસના બેટાની વાર્તા.

252 વૈષ્ણવો ની વાર્તા. વાર્તા 1 લી વૈષ્ણવ 1લા.

252 વૈષ્ણવો ની વાર્તા  વાર્તા 1 લી વૈષ્ણવ 1લા. શ્રી ગુસાંઈજીના સેવક ગોવિંદસ્વામી સાનોડીયા બ્રાહ્મણ મહાવનમાં રહેતા હતા તેમની વાર્તા।

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 51-થી-60)

______________________________________________________ બેઠક (51) મી શ્રી તોત્રાદ્રિ પર્વતની બેઠકનું  ચરિત્ર bethak (51) video click here to look શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક  તોત્રાદ્રિપર્વતની પાસે એક વડની નીચે છે. તેના નીચે આપ બિરાજ્યા હતા, કૃષ્ણદાસ મેઘને વિનંતી કરી, મહારાજ જળનું સ્થળ ક્યાંય દેખાતું નથી.  ત્યારે શ્રી આચાર્યજી એ આજ્ઞા કરી. કે મારી પાસે આં કદંબનું વૃક્ષ છે. ત્યાં કદંબની દક્ષિણ તરફ એક મોટી શીલા છે. તે શીલાને ઉપાડવાથી તેની નીચે એક જળ નું કુંડ નીકળશે. ત્યારે ત્યાં જઈને કૃષ્ણદાસે શીલા ઉઠાવી. તેની નીચે એક મોટો કુંડ નીકળ્યો, તેમાં પગથિયાં પણ બહુ સારાં હતા નીચે એક મોટો કુંડ નીકળ્યો, તેમાં પગથિયાં પણ બહુ સારા હતાં સેવકોએ તે કુંડનું નામ વલ્લભ કુંડ પાડ્યું. આ સમાચાર માયાવાદીઓ એ સાંભળ્યા કે શ્રી વલ્લભાચાર્યજી અહીં પધાર્યા છે, એણે વિદ્યાનગર તથા કાશીમાં માયામતનું ખંડન  કરી ભક્તિનું સ્થાપન કર્યું છે, અને અગ્નિ કુંડમાંથી  પ્રાગટ્ય હોવાથી તેનું અગ્નિ જેવું તેજ છે. માટે આપણામાંથી બે પંડિત  જઈને જોઈ આવો. બે પંડિતો ગયા જ...