મુખ્ય સામગ્રી પર જાઓ

252 વૈષ્ણવો ની વાર્તા. વાર્તા 39 મી. વૈષ્ણવ 39 માં.

252 વૈષ્ણવો ની વાર્તા. 

વાર્તા 39 મી. વૈષ્ણવ 39 માં. શ્રીગુસાંઇજીના સેવક ગોપાળ દાસ ભીતરીયાની વાર્તા. પ્રસંગ 1 લો :- આ ગોપાળદાસ ગુજરાતમાં શ્રીગુસાંઇજીની સાથે આવ્યાં. શ્રીગુસાંઇજીએ ગોપાળદાસને શ્રીનાથજીની સેવા સોંપી હતી. શ્રીનાથજી ગોપાળદાસની ઉપર એવી કૃપા કરતા કે જે ઠેકાણે ગોપાળદાસ સેવામાં ભૂલ કરતા તે ઠેકાણે શ્રીનાથજી શીખવાડતા. આ ગોપાળદાસનો પ્રસંગ ગોપીનાથ ગ્વાલની વાર્તામાં  લખ્યો છે. શ્રીનાથજી ગોપાળદાસને સાથે વનમાં લઈ જતાં. જે સામગ્રી ગોપાળદાસજીને નહોતી આવડતી તે શ્રીનાથજી પોતે બતાવીને કરાવી લેતા. એવી રીતે અનેક પ્રકારનો અનુભવ કરાવતા. આ ગોપાળદાસ એવા કૃપાપાત્ર હતા. વાર્તા સંપૂર્ણ. વૈષ્ણવ 39 માં. 

(સાર) અનન્ય ભક્તને પ્રભુ અનેક પ્રકરણના અનુભવ  કરાવે છે. સેવામાં જો કોઈ ચૂક પડે તો પ્રભુ જાતે તે બતલાવે છે.  

ટિપ્પણીઓ

MOST FAVORITE POST

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 1-થી-10)

                                                                      અર્થ   જ્યારે જ્યારે ધર્મ નો મહા ધ્વંસ થાય છે અને અધર્મ નું જોર જામે છે ત્યારે ત્યારે હું અવતાર લાવું છું. એમ સ્વયં શ્રી  કૃષ્ણ  ભગવાને ગીતા માં કહ્યું  છે. 

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 51-થી-60)

______________________________________________________ બેઠક (51) મી શ્રી તોત્રાદ્રિ પર્વતની બેઠકનું  ચરિત્ર bethak (51) video click here to look શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક  તોત્રાદ્રિપર્વતની પાસે એક વડની નીચે છે. તેના નીચે આપ બિરાજ્યા હતા, કૃષ્ણદાસ મેઘને વિનંતી કરી, મહારાજ જળનું સ્થળ ક્યાંય દેખાતું નથી.  ત્યારે શ્રી આચાર્યજી એ આજ્ઞા કરી. કે મારી પાસે આં કદંબનું વૃક્ષ છે. ત્યાં કદંબની દક્ષિણ તરફ એક મોટી શીલા છે. તે શીલાને ઉપાડવાથી તેની નીચે એક જળ નું કુંડ નીકળશે. ત્યારે ત્યાં જઈને કૃષ્ણદાસે શીલા ઉઠાવી. તેની નીચે એક મોટો કુંડ નીકળ્યો, તેમાં પગથિયાં પણ બહુ સારાં હતા નીચે એક મોટો કુંડ નીકળ્યો, તેમાં પગથિયાં પણ બહુ સારા હતાં સેવકોએ તે કુંડનું નામ વલ્લભ કુંડ પાડ્યું. આ સમાચાર માયાવાદીઓ એ સાંભળ્યા કે શ્રી વલ્લભાચાર્યજી અહીં પધાર્યા છે, એણે વિદ્યાનગર તથા કાશીમાં માયામતનું ખંડન  કરી ભક્તિનું સ્થાપન કર્યું છે, અને અગ્નિ કુંડમાંથી  પ્રાગટ્ય હોવાથી તેનું અગ્નિ જેવું તેજ છે. માટે આપણામાંથી બે પંડિત  જઈને જોઈ આવો. બે પંડિતો ગયા જ...

252 વૈષ્ણવો ની વાર્તા. વાર્તા 1 લી વૈષ્ણવ 1લા.

252 વૈષ્ણવો ની વાર્તા  વાર્તા 1 લી વૈષ્ણવ 1લા. શ્રી ગુસાંઈજીના સેવક ગોવિંદસ્વામી સાનોડીયા બ્રાહ્મણ મહાવનમાં રહેતા હતા તેમની વાર્તા।