મુખ્ય સામગ્રી પર જાઓ

252 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 14 મી. વૈષ્ણવ 14 માં.

252 વૈષ્ણવોની વાર્તા. 



વાર્તા 14 મી. વૈષ્ણવ 14 માં. શ્રીગુસાંઇજીના સેવક ગોપાળદાસ સેગલક્ષત્રીની વાર્તા.  


આ ગોપાળદાસ નંદગામમાં રહેતા, નંદગામમાં શ્રીગુંસાઈજી પધાર્યા ત્યારે ગોપાળદાસે શ્રીગુસાંઇજીને પોતાના ઘરમાં પધરાવ્યા. ઘરમાં જે હતું તે બધું અર્પણ કર્યું. પછી એક મ્લેચ્છની ચાકરી કરવા લાગ્યા. મ્લેચ્છના દ્રવ્યને ગોપાળદાસ વૈષ્ણવોમાં ખર્ચતા. લોકોએ મ્લેચ્છને કહ્યું આને નોકરીમાંથી કાઢી મુકો એ નિત્ય કથા કીર્તનમાં દ્રવ્ય ખરચે છે. ત્યારે મ્લેચ્છે કહ્યું એના ભાગ્યથી મારુ દ્રવ્ય હંમેશા વધે છે. એ સંસાર વ્યવહારમાં કશું ખર્ચતો નથી. તેથી હું એને કેવી રીતે કાઢી મુકું? એ ગોપાળદાસ એવા કૃપા પાત્ર ભગવદીય હતા. એમના સંગથી મ્લેચ્છની બુદ્ધિ પણ નિર્મળ થઈ હતી. વાર્તા સંપૂર્ણ. વૈષ્ણવ 14 માં. 

(સાર) (1) વૈષ્ણવના સંગથી મ્લેચ્છની બુદ્ધિ પણ ફરી જાય છે. (2) વૈષ્ણવે પોતાના દ્રવ્યને અલૌકિક કાર્ય, સેવા ઈત્યાદિમાં ખર્ચવું.
---------------------------------------------------------------------------------









---------------------------------------------------------------------------------


  
      

ટિપ્પણીઓ

MOST FAVORITE POST

252 વૈષ્ણવો ની વાર્તા. વાર્તા 3 જી. વૈષ્ણવ 3 જા.

252 વૈષ્ણવો ની વાર્તા  વાર્તા 3 જી. વૈષ્ણવ 3 જા.શ્રી ગુસાંઈજીના સેવક ચતુર્ભુજદાસ તે કુંભનદાસના બેટાની વાર્તા.

252 વૈષ્ણવો ની વાર્તા. વાર્તા 1 લી વૈષ્ણવ 1લા.

252 વૈષ્ણવો ની વાર્તા  વાર્તા 1 લી વૈષ્ણવ 1લા. શ્રી ગુસાંઈજીના સેવક ગોવિંદસ્વામી સાનોડીયા બ્રાહ્મણ મહાવનમાં રહેતા હતા તેમની વાર્તા।

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 51-થી-60)

______________________________________________________ બેઠક (51) મી શ્રી તોત્રાદ્રિ પર્વતની બેઠકનું  ચરિત્ર bethak (51) video click here to look શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક  તોત્રાદ્રિપર્વતની પાસે એક વડની નીચે છે. તેના નીચે આપ બિરાજ્યા હતા, કૃષ્ણદાસ મેઘને વિનંતી કરી, મહારાજ જળનું સ્થળ ક્યાંય દેખાતું નથી.  ત્યારે શ્રી આચાર્યજી એ આજ્ઞા કરી. કે મારી પાસે આં કદંબનું વૃક્ષ છે. ત્યાં કદંબની દક્ષિણ તરફ એક મોટી શીલા છે. તે શીલાને ઉપાડવાથી તેની નીચે એક જળ નું કુંડ નીકળશે. ત્યારે ત્યાં જઈને કૃષ્ણદાસે શીલા ઉઠાવી. તેની નીચે એક મોટો કુંડ નીકળ્યો, તેમાં પગથિયાં પણ બહુ સારાં હતા નીચે એક મોટો કુંડ નીકળ્યો, તેમાં પગથિયાં પણ બહુ સારા હતાં સેવકોએ તે કુંડનું નામ વલ્લભ કુંડ પાડ્યું. આ સમાચાર માયાવાદીઓ એ સાંભળ્યા કે શ્રી વલ્લભાચાર્યજી અહીં પધાર્યા છે, એણે વિદ્યાનગર તથા કાશીમાં માયામતનું ખંડન  કરી ભક્તિનું સ્થાપન કર્યું છે, અને અગ્નિ કુંડમાંથી  પ્રાગટ્ય હોવાથી તેનું અગ્નિ જેવું તેજ છે. માટે આપણામાંથી બે પંડિત  જઈને જોઈ આવો. બે પંડિતો ગયા જ...