મુખ્ય સામગ્રી પર જાઓ

252 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 24 મી. વૈષ્ણવ 24 માં.

252 વૈષ્ણવોની વાર્તા.


વાર્તા 24 મી. વૈષ્ણવ 24 માં. શ્રીગુસાંઇજીના સેવક રાજાલાખાની વાર્તા. પ્રસંગ 1લો :- આ રાજા વ્રજમાં તીર્થ કરવાને આવ્યા. શ્રીનાથજીનાં દર્શન કરીને શ્રીગુસાંઇજીને શરણે ગયા. શ્રીનાથજીના સ્વરૂપમાં એમની એવી આશક્તિ થઈ કે શ્રીનાથજી સિવાય કશું પણ એમને રુચતું ન હોતું શ્રીનાથજીનું રટણ એમને આઠે પહોર રહેતું હતું. એક દિવસે એમની સ્ત્રીએ કહ્યું જો અહીંયા પડદાનો બંદોબસ્ત રહે તો દર્શન કરું. ત્યારે રાજાએ કહ્યું "શ્રીનાથજીની આગળ પડદાનો બંદોબસ્ત કેવો " પણ રાણીએ બારોબાર શ્રીગુસાંઇજીને કહીને બંદોબસ્ત કરાવડાવ્યો અને જયારે દર્શનને માટે આવી ત્યારે રાજા એકલાજ અંદર હતા બીજું કોઈ માણસ ન હોતું ને શ્રીનાથજી એ કમાડ ખોલી દીધું. તો અચાનક રાણીની ઉપર ભીડ પડી ત્યારે રાજાએ કહ્યું " મેં કહ્યું હતું કે અહીંયા પડદો નહીં ચાલે ! શ્રીનાથજીએ કમાડ ખોલ્યા તે રાજાની વાત સત્ય કરવા ખોલ્યાં એ એવાં શ્રીનાથજીમાં આસક્ત હતા, શ્રીગુસાંઇજીની કૃપાથી એમનો ભાવ હંમેશાં એવો રહેતો. વાર્તા સંપૂર્ણ. વૈષ્ણવ 24 માં. વાર્તા 24 મી સંપૂર્ણ.

(સાર) પ્રભુ મંદિરમાં લૌકિક લાજ મર્યાદા કે પડદા ચાલી શકતા નથી. માટે વૈષ્ણવે એવો આગ્રહ કરવો નહીં.  



  

ટિપ્પણીઓ

MOST FAVORITE POST

252 વૈષ્ણવો ની વાર્તા. વાર્તા 1 લી વૈષ્ણવ 1લા.

252 વૈષ્ણવો ની વાર્તા  વાર્તા 1 લી વૈષ્ણવ 1લા. શ્રી ગુસાંઈજીના સેવક ગોવિંદસ્વામી સાનોડીયા બ્રાહ્મણ મહાવનમાં રહેતા હતા તેમની વાર્તા।

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 31-થી-40)

_________________________________________________________________________________ બેઠક (31) મી શ્રી ગંગાસાગર ની બેઠક નું ચરિત્ર      bethak (31) video click here to look શ્રી ગંગાસાગર માં કાંપિલાશ્રમ. કપિલાવનમાં કપિલકુંડ ઉપર છોકરના વૃક્ષ ની નીચે શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક છે. તેની આસપાસ સઘન વનમાં સિંહ ગેંડા, હાથી, સરસ,હરણ,અને ભેંસો તેવા તામરસી પ્રાણીઓ બહુ હતા, મનુષ્ય જઈ શકતા નહીં ત્યાં છ માસ આપ બિરાજ્યા અને    પ્રીજાસુધ ની સૂબોઘીનીજી સંપૂર્ણ કરીને આપ પધાર્યા. ત્યાં કૃષ્ણદાસ મેઘન મમરા અલોઉંકિક રીતે લાવ્યા. આપે અંગીકાર કર્યો. કૃષ્ણદાસને વરદાન આપ્યું એક સમય આપ પ્રાતઃકાળે ગંગાસાગર માં સ્નાન કરીને બિરાજ્યા હતા ત્યાં વિચાર આવ્યો કે દૈવી જીવોનો ઉદ્ધાર ભગવઆજ્ઞા થી કરવો છે. પણ જીવો તો તામસી યોનીવાળા છે. તે ઉત્તમ યોનિમાં આવે ત્યારે ભગવદ ભજનનો અધિકાર થાય. તેથી ભક્તિનો સંબંધ કરાવવો અને પ્રમેયબલ થી તામસી યોની નિવૃત થાય ત્યારે, ત્યારે ઉત્તમ યોની થઈ ઉદ્ધાર થાય. જેમ ગંધથી ચારે પર્વ વિદ્યમાન છે તેથી ચરણાંર્વિદ છે તે ભક્તિ રૂપ છે એને ભક્તિ ગંધ...

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 1-થી-10)

                                                                      અર્થ   જ્યારે જ્યારે ધર્મ નો મહા ધ્વંસ થાય છે અને અધર્મ નું જોર જામે છે ત્યારે ત્યારે હું અવતાર લાવું છું. એમ સ્વયં શ્રી  કૃષ્ણ  ભગવાને ગીતા માં કહ્યું  છે.