મુખ્ય સામગ્રી પર જાઓ

252 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 24 મી. વૈષ્ણવ 24 માં.

252 વૈષ્ણવોની વાર્તા.


વાર્તા 24 મી. વૈષ્ણવ 24 માં. શ્રીગુસાંઇજીના સેવક રાજાલાખાની વાર્તા. પ્રસંગ 1લો :- આ રાજા વ્રજમાં તીર્થ કરવાને આવ્યા. શ્રીનાથજીનાં દર્શન કરીને શ્રીગુસાંઇજીને શરણે ગયા. શ્રીનાથજીના સ્વરૂપમાં એમની એવી આશક્તિ થઈ કે શ્રીનાથજી સિવાય કશું પણ એમને રુચતું ન હોતું શ્રીનાથજીનું રટણ એમને આઠે પહોર રહેતું હતું. એક દિવસે એમની સ્ત્રીએ કહ્યું જો અહીંયા પડદાનો બંદોબસ્ત રહે તો દર્શન કરું. ત્યારે રાજાએ કહ્યું "શ્રીનાથજીની આગળ પડદાનો બંદોબસ્ત કેવો " પણ રાણીએ બારોબાર શ્રીગુસાંઇજીને કહીને બંદોબસ્ત કરાવડાવ્યો અને જયારે દર્શનને માટે આવી ત્યારે રાજા એકલાજ અંદર હતા બીજું કોઈ માણસ ન હોતું ને શ્રીનાથજી એ કમાડ ખોલી દીધું. તો અચાનક રાણીની ઉપર ભીડ પડી ત્યારે રાજાએ કહ્યું " મેં કહ્યું હતું કે અહીંયા પડદો નહીં ચાલે ! શ્રીનાથજીએ કમાડ ખોલ્યા તે રાજાની વાત સત્ય કરવા ખોલ્યાં એ એવાં શ્રીનાથજીમાં આસક્ત હતા, શ્રીગુસાંઇજીની કૃપાથી એમનો ભાવ હંમેશાં એવો રહેતો. વાર્તા સંપૂર્ણ. વૈષ્ણવ 24 માં. વાર્તા 24 મી સંપૂર્ણ.

(સાર) પ્રભુ મંદિરમાં લૌકિક લાજ મર્યાદા કે પડદા ચાલી શકતા નથી. માટે વૈષ્ણવે એવો આગ્રહ કરવો નહીં.  



  

ટિપ્પણીઓ

MOST FAVORITE POST

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 1-થી-10)

                                                                      અર્થ   જ્યારે જ્યારે ધર્મ નો મહા ધ્વંસ થાય છે અને અધર્મ નું જોર જામે છે ત્યારે ત્યારે હું અવતાર લાવું છું. એમ સ્વયં શ્રી  કૃષ્ણ  ભગવાને ગીતા માં કહ્યું  છે. 

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 51-થી-60)

______________________________________________________ બેઠક (51) મી શ્રી તોત્રાદ્રિ પર્વતની બેઠકનું  ચરિત્ર bethak (51) video click here to look શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક  તોત્રાદ્રિપર્વતની પાસે એક વડની નીચે છે. તેના નીચે આપ બિરાજ્યા હતા, કૃષ્ણદાસ મેઘને વિનંતી કરી, મહારાજ જળનું સ્થળ ક્યાંય દેખાતું નથી.  ત્યારે શ્રી આચાર્યજી એ આજ્ઞા કરી. કે મારી પાસે આં કદંબનું વૃક્ષ છે. ત્યાં કદંબની દક્ષિણ તરફ એક મોટી શીલા છે. તે શીલાને ઉપાડવાથી તેની નીચે એક જળ નું કુંડ નીકળશે. ત્યારે ત્યાં જઈને કૃષ્ણદાસે શીલા ઉઠાવી. તેની નીચે એક મોટો કુંડ નીકળ્યો, તેમાં પગથિયાં પણ બહુ સારાં હતા નીચે એક મોટો કુંડ નીકળ્યો, તેમાં પગથિયાં પણ બહુ સારા હતાં સેવકોએ તે કુંડનું નામ વલ્લભ કુંડ પાડ્યું. આ સમાચાર માયાવાદીઓ એ સાંભળ્યા કે શ્રી વલ્લભાચાર્યજી અહીં પધાર્યા છે, એણે વિદ્યાનગર તથા કાશીમાં માયામતનું ખંડન  કરી ભક્તિનું સ્થાપન કર્યું છે, અને અગ્નિ કુંડમાંથી  પ્રાગટ્ય હોવાથી તેનું અગ્નિ જેવું તેજ છે. માટે આપણામાંથી બે પંડિત  જઈને જોઈ આવો. બે પંડિતો ગયા જ...

252 વૈષ્ણવો ની વાર્તા. વાર્તા 3 જી. વૈષ્ણવ 3 જા.

252 વૈષ્ણવો ની વાર્તા  વાર્તા 3 જી. વૈષ્ણવ 3 જા.શ્રી ગુસાંઈજીના સેવક ચતુર્ભુજદાસ તે કુંભનદાસના બેટાની વાર્તા.