મુખ્ય સામગ્રી પર જાઓ

252વૈષ્ણવોની વાર્તા. વાર્તા 30 મી. વૈષ્ણવ 30 માં.

252વૈષ્ણવોની વાર્તા. 


વાર્તા 30 મી. વૈષ્ણવ 30 માં. શ્રીગુસાંઇજીના સેવક દેવ બ્રાહ્મણ બંગાળના વાસીની વાર્તા.  


પ્રસંગ 1 લો :- આ બ્રાહ્મણ વ્રજયાત્રા કરવાને આવ્યા. શ્રીગોવર્ધનનાથજીનાં દર્શન કરીને તેમનું મન ઘણું પ્રસન્ન થયું. સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના દર્શન થયાં. તેમણે શ્રીગુસાંઇજીને વિનંતી કરી કે મને શરણે લ્યો. શ્રીગુંસાઈજીએ કૃપા કરીને સમર્પણ કરાવ્યું. પછીથી આ બ્રાહ્મણ અહીંયા રહીને પુષ્ટિમાર્ગીય સર્વ સેવાની રીત શીખ્યા. અને શ્રીગુંસાઈજીની આજ્ઞા લઈને બંગાળામાં ગયા. ત્યાં ઘરમાં સેવા કરવા લાગ્યા. એક દિવસ આ બ્રાહ્મણે અડદની દાળના વડા કર્યા. તે વખતે એમના મનમાં એવું આવ્યું કે કંઈ મિષ્ટાન પણ જોઈએ. દ્રવ્યનો ઘણો સંકોચ હતો. તેથી થોડો ગોળ આણ્યો અને શ્રીનાથજીને ભોગ સમર્પ્યો. ત્યાં શ્રીનાથજી પોતે સાક્ષાત આરોગવાને પધાર્યા. અને શ્રી ગિરિરાજ ઉપર રાજભોગ ધરેલો હતો તે ન આરોગ્યા. પછી ભીતરીયાએ અનોસર કર્યો તે વખતે શ્રીગુંસાઈજી શ્રીગોકુળમાં બિરાજતા હતા. ત્યાં શ્રીનાથજીએ જણાવ્યું "આજે હું ભૂખ્યો છું, હું દેવ બ્રાહ્મણના ઘરમાં ગોળ તથા વડા આરોગવા ગયો હતો. પછીથી રાજભોગ સરાવીને ભીતરીયાએ અનોસર કર્યો. શ્રીગુંસાઈજી તે વખતે શ્રીગોકુળથી શ્રીગિરિરાજ પધાર્યા અને સામગ્રી કરીને રાજભોગ ધરાવ્યો. પછીથી તે બ્રાહ્મણને પત્ર લખ્યો કે તમે જે ગોળ તથા વડા અમુક દિવસે ધર્યા હતાં તે શ્રીનાથજીને સારી રીતે આરોગ્યા છે. એ પત્ર વાંચીને બ્રાહ્મણ ઘણાજ પ્રસન્ન થયા. અને બે થાન બંગાળી મલમલ લઈને ગયા. આવીને એક શ્રીગુસાંઇજીને ભેટ કર્યા અને વિનંતી કરી આ થાન અંગીકાર કરો" શ્રીગુંસાઈજીએ કહ્યું "આ થાન શ્રીનાથજીને લાયક છે " આ બ્રાહ્મણે વિનંતી કરી " હું એક બીજું થાન લાવ્યો છું તે શ્રીનાથજીને અંગીકાર કરાવો, ત્યારે શ્રીગુંસાઈજીએ એ પ્રમાણે કર્યું પછીથી આ બ્રાહ્મણે મલમલના વાઘા ધરેલા શ્રીનાથજીનાં દર્શન કર્યા. એ બ્રાહ્મણ એવા શ્રીનાથજીના કૃપાપાત્ર હતા. વાર્તા સંપૂર્ણ. વૈષ્ણવ 30 માં. 

(સાર) પ્રભુ ભક્તની ભાવનાના ભૂખ્યા છે. દ્રવ્યનો સંકોચ હોય પણ જો ભાવથી ભક્તિ કરવામાં આવે તો પ્રભુ તેને અધિક માને છે. શબરીનું દ્રષ્ટાંત સર્વને વિદિત છે તેણે એઠાં બોર શ્રીરામચંદ્રજીને અંગીકાર કરાવ્યાં હતા. પણ શ્રી રામચંદ્રજી તે પ્રેમથી આરોગ્યા હતા. આમ મર્યાદામાં જણાય છે. તો પુષ્ટિમાં શા માટે ભક્તે પ્રેમથી આરોગાવેલી વસ્તુનો પ્રભુ અંગીકાર ન કરે ? પુષ્ટિમાર્ગ તો ભાવનો છે. 'पुष्टिपथमर्म' માં શ્રી હરિરાયજી કહે છે पश्चमं कृष्णलोलाया भावनं हृदिसर्वथा. ભાવોદ બોધ એ પુષ્ટિમાર્ગ માં પાંચમો મર્મ છે. 





ટિપ્પણીઓ

MOST FAVORITE POST

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 1-થી-10)

                                                                      અર્થ   જ્યારે જ્યારે ધર્મ નો મહા ધ્વંસ થાય છે અને અધર્મ નું જોર જામે છે ત્યારે ત્યારે હું અવતાર લાવું છું. એમ સ્વયં શ્રી  કૃષ્ણ  ભગવાને ગીતા માં કહ્યું  છે. 

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 51-થી-60)

______________________________________________________ બેઠક (51) મી શ્રી તોત્રાદ્રિ પર્વતની બેઠકનું  ચરિત્ર bethak (51) video click here to look શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક  તોત્રાદ્રિપર્વતની પાસે એક વડની નીચે છે. તેના નીચે આપ બિરાજ્યા હતા, કૃષ્ણદાસ મેઘને વિનંતી કરી, મહારાજ જળનું સ્થળ ક્યાંય દેખાતું નથી.  ત્યારે શ્રી આચાર્યજી એ આજ્ઞા કરી. કે મારી પાસે આં કદંબનું વૃક્ષ છે. ત્યાં કદંબની દક્ષિણ તરફ એક મોટી શીલા છે. તે શીલાને ઉપાડવાથી તેની નીચે એક જળ નું કુંડ નીકળશે. ત્યારે ત્યાં જઈને કૃષ્ણદાસે શીલા ઉઠાવી. તેની નીચે એક મોટો કુંડ નીકળ્યો, તેમાં પગથિયાં પણ બહુ સારાં હતા નીચે એક મોટો કુંડ નીકળ્યો, તેમાં પગથિયાં પણ બહુ સારા હતાં સેવકોએ તે કુંડનું નામ વલ્લભ કુંડ પાડ્યું. આ સમાચાર માયાવાદીઓ એ સાંભળ્યા કે શ્રી વલ્લભાચાર્યજી અહીં પધાર્યા છે, એણે વિદ્યાનગર તથા કાશીમાં માયામતનું ખંડન  કરી ભક્તિનું સ્થાપન કર્યું છે, અને અગ્નિ કુંડમાંથી  પ્રાગટ્ય હોવાથી તેનું અગ્નિ જેવું તેજ છે. માટે આપણામાંથી બે પંડિત  જઈને જોઈ આવો. બે પંડિતો ગયા જ...

252 વૈષ્ણવો ની વાર્તા. વાર્તા 1 લી વૈષ્ણવ 1લા.

252 વૈષ્ણવો ની વાર્તા  વાર્તા 1 લી વૈષ્ણવ 1લા. શ્રી ગુસાંઈજીના સેવક ગોવિંદસ્વામી સાનોડીયા બ્રાહ્મણ મહાવનમાં રહેતા હતા તેમની વાર્તા।