મુખ્ય સામગ્રી પર જાઓ

252 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 23 મી. વૈષ્ણવ 23 માં.

252 વૈષ્ણવોની વાર્તા.


વાર્તા 23 મી. વૈષ્ણવ 23 માં. શ્રીગુસાંઇજીના સેવક યદુનાથદાસની વાર્તા.
પ્રસંગ 1 લો :- એ જોનપુરમાં રહેતા હતા. તેમનું મન હાથીના મહાવતની સ્ત્રીમાં આસક્ત હતું. એને દીઠા વગર પાણી પણ પિતા ન હોતા. એક દિવસ તે સ્ત્રી સૂતી હતી. પહોર દહાડો રહ્યો છતાં તે સ્ત્રી ઉઠી નહીં. યદુનાથદાસ ત્રણ પહોર એના દરવાજા આગળ થોભી રહ્યા. જયારે તે ઉઠી ત્યારે તેણે દાસીને કહ્યું જો દેખતો ખરી બહાર કોઈ પુરુષ થોભી રહ્યો છે ત્યારે દાસીએ કહ્યું એક દવનો માર્યો પુરુષ ઉભો છે ત્યારે એ સ્ત્રી બોલી " એ ગાંડો છે. જેવી રીતે તેણે મારાં હાડકાં અને ચામડીમાં મન લગાવ્યું છે તેવું જો શ્રીઠાકોરજીમાં લગાડે તો કામ થઈ જાય." એ વાત સાંભળતાને યદુનાથદાસના હૃદયમાં પ્રકાશ થઈ ગયો જેમ સૂરજ ઉદય થવાથી અંધકાર જતો રહે છે તેમ ત્યાંથી ચાલીને ઘરમાં આવ્યાં. અને એવો સંકલ્પ કર્યો. " જેમ બને તેમ શ્યામને ભજીશ" તે વખતે જોનપુરમાં શ્રીગુંસાઈજી પધાર્યા હતા. બધા વૈષ્ણવો દર્શન કરવાને માટે ભેગા થયા હતા. તેમની સાથે યદુનાથદાસજી પણ ગયા. જઈને શ્રીગુસાંઇજીનાં દર્શન કર્યા તો સાક્ષાત કોટી કંદર્પલાવણ્ય સ્વરૂપનાં દર્શન થયાં. દંડવત કરીને શ્રીગુસાંઇજીને વિનંતી કરી "મને શરણ લ્યો. ત્યારે શ્રીગુંસાઈજી એ નામ નિવેદન કરાવડાવ્યું માર્ગની પ્રણાલિકા સમજાવી. શ્રીઠાકોરજી પધરાવ્યા યદુનાથદાસ ત્યારથી સેવા કરવા લાગ્યા. પછી યદુનાથદાસનું મન ભગવત્સેવામાં એવું આસક્ત થયું કે તે સ્ત્રી દરરોજ સામે આવીને ઉભી રહેતી તો પણ યદુનાથદાસ તેના સામું પણ જોતા નહોતાં, અને બોલતાં પણ નહીં. એ યદુનાથદાસ એવા કૃપાપાત્ર હતા. એમનું ચિત્ત વિષયથી છૂટી ગયું અને પ્રભુમાં લાગી ગયું. વાર્તા સંપૂર્ણ. વૈષ્ણવ 23 માં. 

(સાર)- શ્રી મહાપ્રભુજીએ કહ્યું છેઃ 
  स्वधर्माचरणं शक्त्या ह्यधर्मात्तु निवर्तनम्र।
        इंद्रियाश्व विनिग्रह: सर्वथा न त्यजेत्त्रयम।।    
  
સ્વધર્મનું શક્તિપ્રમાણે આચરણ કરવું. અધર્મમાંથી નિવૃત થવું અને ઇન્દ્રિય રૂપી અશ્વનો નિગ્રહ કરવો. કોઈપણ રીતે આ ત્રણનો તો ત્યાગ નહીજ કરવો.




ટિપ્પણીઓ

MOST FAVORITE POST

252 વૈષ્ણવો ની વાર્તા. વાર્તા 3 જી. વૈષ્ણવ 3 જા.

252 વૈષ્ણવો ની વાર્તા  વાર્તા 3 જી. વૈષ્ણવ 3 જા.શ્રી ગુસાંઈજીના સેવક ચતુર્ભુજદાસ તે કુંભનદાસના બેટાની વાર્તા.

252 વૈષ્ણવો ની વાર્તા. વાર્તા 1 લી વૈષ્ણવ 1લા.

252 વૈષ્ણવો ની વાર્તા  વાર્તા 1 લી વૈષ્ણવ 1લા. શ્રી ગુસાંઈજીના સેવક ગોવિંદસ્વામી સાનોડીયા બ્રાહ્મણ મહાવનમાં રહેતા હતા તેમની વાર્તા।

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 51-થી-60)

______________________________________________________ બેઠક (51) મી શ્રી તોત્રાદ્રિ પર્વતની બેઠકનું  ચરિત્ર bethak (51) video click here to look શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક  તોત્રાદ્રિપર્વતની પાસે એક વડની નીચે છે. તેના નીચે આપ બિરાજ્યા હતા, કૃષ્ણદાસ મેઘને વિનંતી કરી, મહારાજ જળનું સ્થળ ક્યાંય દેખાતું નથી.  ત્યારે શ્રી આચાર્યજી એ આજ્ઞા કરી. કે મારી પાસે આં કદંબનું વૃક્ષ છે. ત્યાં કદંબની દક્ષિણ તરફ એક મોટી શીલા છે. તે શીલાને ઉપાડવાથી તેની નીચે એક જળ નું કુંડ નીકળશે. ત્યારે ત્યાં જઈને કૃષ્ણદાસે શીલા ઉઠાવી. તેની નીચે એક મોટો કુંડ નીકળ્યો, તેમાં પગથિયાં પણ બહુ સારાં હતા નીચે એક મોટો કુંડ નીકળ્યો, તેમાં પગથિયાં પણ બહુ સારા હતાં સેવકોએ તે કુંડનું નામ વલ્લભ કુંડ પાડ્યું. આ સમાચાર માયાવાદીઓ એ સાંભળ્યા કે શ્રી વલ્લભાચાર્યજી અહીં પધાર્યા છે, એણે વિદ્યાનગર તથા કાશીમાં માયામતનું ખંડન  કરી ભક્તિનું સ્થાપન કર્યું છે, અને અગ્નિ કુંડમાંથી  પ્રાગટ્ય હોવાથી તેનું અગ્નિ જેવું તેજ છે. માટે આપણામાંથી બે પંડિત  જઈને જોઈ આવો. બે પંડિતો ગયા જ...